Pages

Sunday, August 25, 2013

15 મી ઓગસ્ટ -યાદગાર દિવસ-મહીસાગર નવો જિલ્લો


ખેડા-પંચમહાલમાંથી છૂટો પડીને નવા મહિસાગર જિલ્લાની રચનાની જાહેરાત થતાં નવા મહિસાગરના જિલ્લા કલેક્ટરે તેમનો ચાર્જ સંભાળી લીધો હતો. ઉપરાંત જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે ૧૫મી ઓગસ્ટે જિલ્લા કક્ષાનું પ્રથમ ધ્વજવંદન કરવામાં આવશે. ઉપરાંત મહીસાગર જિલ્લાનું લુણાવાડા વડુ મથક બનતાં નગરજનોએ ફટાકડા ફોડી આ જાહેરાતને વધાવી હતી. આ પ્રસંગે મશાલ સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.
  • કલેક્ટર પ્રફૂલ્લ હર્ષે નવા જિલ્લાનો ચાર્જ સંભાળ્યોઃ નગરજનોએ ફટાકડા ફોડયાઃ મશાલ સરઘસ કાઢવામાં આવ્યું
આજરોજ પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા- ખાનપુર- કડાણા- સંતરામપુર અને ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર એમ છ તાલુકાઓ ભેગા કરીને એક નવા મહિસાગર જિલ્લાની રચના અસ્તિત્વમાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી આ છ તાલુકાઓના પ્રજાજનોને જિલ્લાના વડા મથક સુધી પહોંચવામાં આર્થિક તથા શારીરિક તકલીફો વેઠવી પડતી હતી. તેને ગુજરાત સરકાર દ્વારા પ્રજાહિતમાં નવા જિલ્લાઓની રચના કરી તેમાંનો એક મહિસાગર જિલ્લો પણ અસ્તિત્વમાં આવી ગયો છે.
મહિસાગર જિલ્લાનું વડુ મથક લુણાવાડા હોઇ સરકાર દ્વારા વિવિધ કચેરીઓનુ નિર્માણ કરાશે. એમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, સિવિલ હોસ્પિટલ, ડીએસપી ઓફિસ તેમજ વિવિધ પ્રજા ઉપયોગી કચેરીઓ ટૂંક સમયમાં જિલ્લાના મુખ્ય મથક પર કાર્યરત થશે ત્યારે લુણાવાડા નગરને મહિસાગર જિલ્લાનું વડુ મથક બનાવતાં પ્રજાજનોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે અને લુણાવાડાના વિકાસ હજુ વેગ પકડશે તેમાં બે મત નથી.
આજરોજ મહિસાગર જિલ્લાના પ્રથમ કલેક્ટર પ્રફૂલ્લ હર્ષે તેમનો ચાર્જ પણ સંભાળી લીધો છે અને પંદરમી ઓગસ્ટના દિને મહિસાગરનું વડુ મથક લુણાવાડામાં આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં કલેક્ટરના હસ્તે જિલ્લાનું પ્રથમ ધ્વજવંદન કરવામાં આવશે. તેવુ સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહિસાગર જિલ્લાની રચના થતાં લુણાવાડા જિલ્લાનું વડુ મથક બનતાં પ્રજાજનો દ્વારા લુણેશ્વર ચોકડીએ ફટાકડા ફોડીને જાહેરાતને વધાવી લેવામાં આવી હતી અને સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એક મશાલ સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment

 

Blogger news

Blogroll

Blogger templates